અભ્યાસ સબંધી કઈ પણ સુચન હોય તો વાલીશ્રીએ ઓંફિસમાં જાણ કરવી,
શાળા સાથે વાલી સંપર્કમાં રહે તે બાળકના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે.
પ્રવેશ નીતિ (Admission Policy)
LKG માં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર ૪ વર્ષ, નર્સરી માટે ૩ વર્ષની ઉંમર હોવી / પૂર્ણ થયા હોવા જોઈએ. કે.જી.પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી ધોરણ ૧ માં પ્રવેશ મેળવી શકશે. (૩૧ મે સુધી)
નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ સાથે (લિવિંગ સર્ટી.) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પરિણામની ઝેરોક્ષ કોપી, ફોટા તથા જરૂરી ફી ભર્યા બાદ પ્રવેશની કાર્યવાહી પૂર્ણ ગણાશે.
નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ જાતિનો દાખલો જો હોય તો અને જન્મનું પ્રમાણપત્ર તથા આધાર કાર્ડ ફરજિયાત જમા કરાવવાનું રહેશે.
ઉપાડ નીતિ (Withdraw Policy)
કોઈપણ વિદ્યાર્થીએ શાળામાંથી નામ કમી કરાવવાનું હોય તો એક અઠવાડિયા પહેલા અરજી કરવાની રહેશે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એક અઠવાડિયા પછી આપવામાં આવશે.
વાલીની અરજી જ ધ્યાનમાં લેવામાં આવશે.
પ્રવેશ કાર્યવાહી
વિદ્યાર્થીને શાળામાં દાખલ કરવા માટે વાલીએ નિયત ફોર્મ ભરીને આચાર્યને રૂબરૂ આપવાનું રહેશે.
નર્સરીમાં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર ૩ વર્ષ પૂર્ણ થઈ જવી જોઈએ.
નર્સરીમાં પ્રવેશ મેળવવા માટે બાળકનું જન્મનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
શાળાનું શૈક્ષણિક વર્ષ જૂનથી શરૂ થાય છે અને મે માં પૂરું થાય છે.
નામ કમી કરવાની કાર્યવાહી
વિદ્યાર્થીનું નામ કમી કરવાનું હોય તો તેની જાણ વાલીશ્રીએ ૧૦ (દસ) દિવસ અગાઉ લેખિતમાં અરજી દ્વારા કરવાની રહેશે.
જે માસમાં નામ કમી કરવાની અરજી આપી હોય તે માસની ફી ભરવાની રહેશે, તે પછી જ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપવામાં આવશે.
નિયમો
ફી દરેક સત્ર શરૂ થયાના ૧૦ દિવસ સુધીમાં ભરી દેવાની રહેશે.
દરરોજ શાળામાં સંપૂર્ણ ગણવેશ સાથે આવવાનું રહેશે. હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે ગણવેશ પહેરીને આવવું.
બટન, ચેઈન, હુક, વ્યવસ્થિત બંધ થાય તેવા રાખવા. પિન, ટાંકણી જેવી કામચલાઉ વસ્તુઓનો ઉપયોગ કરવો નહિ.
પગમાં મોજાં ધોયેલા સ્વચ્છ પહેરવા. બૂટ જો દોરીવાળા હોય તો દોરી વ્યવસ્થિત બાંધવી.
દરેક વિદ્યાર્થીએ ખિસ્સા રૂમાલ નિયમિત લાવવો. પોતાના નખ વ્યવસ્થિત કાપેલા અને સાફ રાખવાના રહેશે.
દરેક વિદ્યાર્થીએ વાળમાં તેલ નાખી વ્યવસ્થિત ઓળવાના રહેશે. છોકરીઓએ વાળ રિબન કે હેરબેન્ડથી બાંધેલા રાખવા.
દરેક વિદ્યાર્થી શાળાએ નક્કી કરેલા સમય પહેલા એટલે કે બેલ વાગે તેના કરતા પાંચ મિનિટ પહેલા આવવાનું રહેશે. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીને લઈ જવામાં ૧૦ મિનિટથી વધારે મોડું કરવું નહીં.
શાળામાં લેવા-મૂકવા આવનાર વ્યક્તિએ પોતાનું વાહન શાળાના ઝાંપા સામે મૂકવું નહીં. તેમજ શાળાના ગેટની અંદર પણ લાવવું નહીં.
શાળા સમય દરમિયાન વચ્ચેથી વિદ્યાર્થીને ઘરે જવા દેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
ગેરહાજર વિદ્યાર્થીએ શાળામાં હાજર થતી વખતે વાલીની ગેરહાજર રહ્યા બાબતની લેખિત ચિઠ્ઠી રજૂ કરવાની રહેશે.
વિદ્યાર્થીને કોઈ બીમારીનાં ચિહ્નો જણાય કે બીમાર હોય તો શાળામાં મોકલવો હિતકારક નથી. તે બાબત જાણકારી શાળામાં કરવી.
રીશેષના સમયે બહારથી નાસ્તો ખરીદવા દેવામાં આવશે નહીં, ઘરેથી જ પૌષ્ટિક નાસ્તો આપવાનો રહેશે.